આ વીડિયોની અમે પુષ્ટી કરતા નથી, પરંતુ તે સાચો હોય તો એરલાઇન્સ કંપની સામે કાર્યવાહી જરૂરી
અમદાવાદઃ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર મુસાફરોના મોત મામલે ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યાં છે અને સ્થિતીની સમીક્ષા કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે સોશિયલ મીડિયાના એક્સ એકાઉન્ટમાં આકાશ વત્સે નામના વ્યક્તિએ એર ઇન્ડિયાના આ જ પ્લેનનો વીડિયો પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં તે કહી રહ્યાં છે કે હું દિલ્હીથી અમદાવાદ એ જ પ્લેનમાં આવ્યો છું, જે પ્લેન બાદમાં લંડન જતા ક્રેશ થયું હતુ. આ પ્લેનમાં ટચ સ્ક્રીન કામ કરી રહ્યું નથી, અન્ય એસી સહિતની સિસ્ટમ પણ ઠપ્પ દેખાઇ હતી, ક્રૂને બોલાવવા માટેનું બટન પણ બંધ હતુ. તેને લખ્યું હતુ કે આ એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન છે. આ પ્લેન જ્યારે દિલ્હીથી અમદાવાદ આવ્યું હતુ ત્યારે આ મુસાફરે વીડિયો બનાવ્યો હતો.
આકાશ વત્સે લખ્યું છે કે, 'અમદાવાદથી ઉડાન ભર્યાના 2 કલાક પહેલા હું પણ એ જ ફ્લાઇટમાં હતો. હું DEL-AMD થી આ ફ્લાઇટમાં આવ્યો હતો. મને પ્લેનમાં અસામાન્ય વસ્તુઓ દેખાઇ હતી. ઘણી વસ્તુઓ તૂટેલી હતી, મેં airindiaને ટ્વિટ કરવા માટે વીડિઓ બનાવ્યાં હતા. ત્યારે પહેલાથી પ્લેનમાં ખામી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, અને આ વાત સાચી છે તો એર ઇન્ડિયા જ આટલા બધા લોકોના મોત માટે જવાબદાર છે.