+

ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓ દિલ્હી ડેપ્યુટેશન પર જશે- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ, કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ, કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે કે નિરાલા, સૈદિંગપુઈ છાકછુઆક અને સુપ્રીત સિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે.

હાલમાં પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગમાં સચિવ તરીકે કાર્યરત મનિષા ચંદ્રાની નિમણૂક સંરક્ષણ ઉત્પાદનો વિભાગ નવી દિલ્હીમાં સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતા આ અધિકારીની નિમણૂંક માનવ અધિકાર આયોગ ગૃહ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે.

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઑફ ગુજરાત DSAGના CEO તરીકે સેવા આપતા ગુલાટીની નિયુક્તિ અંકશાસ્ત્ર અને કાર્યક્રમ અમલ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે. આ ઉપરાંત કે કે નિરાલાની નિયુક્તિ માહિતી અને પ્રસારણ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે.

Trending :
facebook twitter