+

દર્દનાક દિવસ....હજુ તો હાથની મહેંદી પણ સુકાઇ નથી અને પ્લેન ક્રેશમાં દીકરી વિધવા બની ગઇ

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા મહેશ્વરી પરિવારનો દીપક બુઝાઈ ગયો.  પરિવારમાં શોકનો માહાલો છવાઇ ગયો  Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં 265 થી વધુ લોકોના જીવ ગયા છે. અનેક પરિવ

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા મહેશ્વરી પરિવારનો દીપક બુઝાઈ ગયો. 

પરિવારમાં શોકનો માહાલો છવાઇ ગયો 

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં 265 થી વધુ લોકોના જીવ ગયા છે. અનેક પરિવારો આજે વેરવિખેર થઇ ગયા છે.ભાવિક મહેશ્વરી લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો. ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે જ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો.

25 વર્ષીય ભાવિક મહેશ્વરી 5 વર્ષથી લંડનમાં રહેતો હતો અને કોર્ટ મેરેજ માટે ભારત આવ્યો હતો. પરંતુ લગ્નના કલાકો પછી જ તેનું મોત થઇ ગયું.

કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ બાદ દિવાળી પર તેઓ ધામધૂમથી લગ્ન કરવાના હતા, પણ તેમને જોયેલું ધામધૂમથી લગ્નનું સપનું અશુભ બની ગયું. આ દંપત્તિ લંડનમાં જ સેટ થવાનું હતુ, પરંતુ તે પહેલા જ લંડન એકલા જઇ રહેલા ભાવિક મહેશ્વરીનું મોત થઇ ગયું હતુ અને યુવતીએ એક જ દિવસમાં પોતાનો પતિ ગુમાવ્યો. યુવતીનો પરિવાર પણ આઘાતમાં છે.

નોંધનિય છે કે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી ક્રેશ થઈ ગયું હતુ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. 

Trending :
facebook twitter