અમદાવાદઃ અમદાવાદથી લંડન થઇ રહેલું પ્લેન ક્રેશ થઇ ગયું અને તેમાં 241 મુસાફરો સહિત કુલ 265 લોકોનાં મોતનો આંકડો સામે આવ્યો છે, અનેક પરિવારો પોતના સ્વજનોના મોતથી આઘાતમાં છે, પરિવારો વેર વિખેર થઇ ગયા છે અને સ્વજનો હાલમાં ડીએનએ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.
આ બધાની વચ્ચે એર હોસ્ટેસ રોશની સોંગારેનું પણ દુર્ઘટનામાં મોત થઇ ગયું છું, તે મહારાષ્ટ્રના ડોમ્બિવલ્લીની રહેવાસી હતી, તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રોશની બચપનમાં જ એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને તેને મહેનત કરીને આ સપનું પુરું કર્યું હતુ, પણ કુદરતને આ મંજુર ન હતું, જે સપનુ પુરું કરીને તે એર ઇન્ડિયામાં નોકરી કરી રહી હતી, તે પ્લેન ક્રેશ થયું અને તેનું મોત થઇ ગયું.
રોશનીના પિતા ટેક્નીશીયન છે, તે બે દિવસ પહેલા જ પરિવારને મળીને પરત આવી હતી. તે તેના દાદા-દાદી, કાકા-કાકીને મળી હતી. સાથે જ કુળદેવતાના દર્શન પણ કર્યાં હતા. તેના લગ્ન પણ ટૂંક સમયમા થવાના હતા.

#WATCH | Prime Minister Narendra Modi holds a review meeting with the officials at the airport in Ahmedabad in the wake of yesterday's #AirIndiaPlaneCrash.
— ANI (@ANI) June 13, 2025
(Source - DD) pic.twitter.com/V9M0B5RDsb