+

વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં, ઘાયલોને મળ્યાં

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ, પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં અને ઘાયલોને મળ્યાં. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ, પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં અને ઘાયલોને મળ્યાં. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી.

મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સિવાય પ્લેનના તમામ મુસાફર, પાયલટ, ક્રૂ તથા બીજે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મળી 265થી વધુ લોકોના મોત થયા હતા. ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ આવ્યાં હતા.

પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચીને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યાં હતા. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. તેમના પત્ની અંજલી રૂપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરમાં નિવાસસ્થાને રવાના થયા હતા. 

 

facebook twitter