(મૃતક દીર્ધ પટેલનો ફાઇલ ફોટો)
Ahmedabad plane crash: અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ છે અને તેમાં 265 જેટલા મુસાફરો અને અન્ય લોકોનાં મોત થઇ ગયા છે, જેમાં સૌથી વધુ લોકો ચરોતરના છે, અંદાજે 50 થી વધુ મુસાફરો ચરોતરના આણંદ, ખેડા જિલ્લાના હતા, જેમના આ દુર્ઘટનામાં મોત થઇ ગયા છે. આણંદના 33 અને ખેડા જિલ્લાના 17 લોકોનાં મોત થયા છે.
કપડવંજ તાલુકાના વડાલી ગામના યુવાન દીર્ધ પ્રફુલભાઇ પટેલનુ્ં પણ આ વિમાન દુર્ઘટનામાં મોત થઇ ગયું છે, આ બનાવથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, દીર્ધ એક મહિના પહેલા વતન આવ્યો હતો અને પાછો લંડન જઇ રહ્યો હતો અને પ્લેન ક્રેશ થતા તેને પણ જીવ ગુમાવ્યો છે.
આ પ્લેન ક્રેશમાં 265 લોકોનાં મોત થયા છે, લાશોની હાલત ઓળખ થઇ શકે તેવી નથી જેથી પરિવારજનોને ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપવા માટે અપીલ કરવામાં આવી છે, અનેક લોકો પોતાના સ્વજનોની ઓળખ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.
નોંધનિય છે કે ખેડા અને આણંદ જિલ્લાના અનેક ગામોના મુસાફરોનાં દુર્ઘટનામાં મોત થયા છે. નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ, બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુરના મુસાફરો આ પ્લેનમાં સવાર હતા.