અમદાવાદઃ વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે, નરોડામાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આરતીબેને જિંદગી ટૂંકાવી દીધી છે. તેમને એસઆરપી-2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો, પોલીસે ઘટના સ્થળે પહોંચીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે તેમને આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.પોલીસને માહિતી મળતા કાફલો અહીં પહોંચ્યો હતો અને આસપાસના લોકોની પૂછપરછ પણ કરી હતી. આરતીબેનની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી, બાદમાં પોલીસે મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
પોલીસને કોઇ સ્યૂસાઇડ નોટ પણ મળી નથી, મૃતકના પરિવારજનો અને પાડોશીઓની પોલીસે પૂછપરછ કરી છે, હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો