બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું તારણ
પોલીસ કરી રહી છે આ કેસની તપાસ
અમદાવાદ: શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર નજીક શુક્રવારની રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેમને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હજુ સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.એવું પણ સામે આવ્યું છે કે આ વ્યક્તિએ બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે.