+

TCS માં ત્રાહિમામ ! આ વર્ષે 12,000 થી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવવાનો ખતરો

મુંબઇઃ દેશની અને વિશ્વની અગ્રણી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ આ વર્ષે વિશ્વભરમાં 12,261 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આ પગલું મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓને અસર કરશે. પીટ

મુંબઇઃ દેશની અને વિશ્વની અગ્રણી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ આ વર્ષે વિશ્વભરમાં 12,261 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આ પગલું મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓને અસર કરશે. પીટીઆઈના સમાચાર મુજબ 30 જૂન, 2025 સુધીમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 6,13,069 હતી. ટીસીએસે આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 5,000 નવા કર્મચારીઓની ભરતી પણ કરી છે.

ભવિષ્ય માટે તૈયાર સંસ્થા બનાવવા તરફ પહેલ

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે તેના નિવેદનમાં જણાવ્યું કે આ નિર્ણય કંપનીને ભવિષ્ય માટે તૈયાર સંસ્થા બનાવવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ છે. આ અંતર્ગત કંપની નવી ટેકનોલોજીમાં રોકાણ કરી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વ્યાપક ઉપયોગ કરી રહી છે, નવા વૈશ્વિક બજારોમાં પ્રવેશ કરી રહી છે અને કાર્યબળનું પુનર્ગઠન કરી રહી છે. કંપનીએ કહ્યું કે અમે નવી ટેકનોલોજી અને AI અપનાવીને પોતાને અને અમારા ગ્રાહકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છીએ. આ પ્રક્રિયા હેઠળ કેટલાક એવા કર્મચારીઓને કંપનીમાંથી મુક્ત કરવામાં આવશે જેમની પુનઃનિયુક્તિ શક્ય નથી.

આવા કર્મચારીઓને સહાય પૂરી પાડવામાં આવશે

ટીસીએસે એ પણ સ્પષ્ટ કર્યું કે અસરગ્રસ્ત કર્મચારીઓને નાણાંકીય લાભો, આઉટપ્લેસમેન્ટ સપોર્ટ, કાઉન્સેલિંગ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવશે. TCSનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે દેશની ટોચની IT કંપનીઓ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નબળા વિકાસ દર નોંધાવી રહી છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવ ગ્રાહકોના નિર્ણયોમાં વિલંબ કરી રહ્યા છે, જેના કારણે પ્રોજેક્ટ્સ પર અસર પડી રહી છે.

TCS નું Q1FY26 પ્રદર્શન

ચાલુ નાણાકીય વર્ષ (2025-26) ના પ્રથમ ક્વાર્ટરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની કુલ આવક ₹63,437 કરોડ નોંધાઈ છે, જે વાર્ષિક ધોરણે 1.3% ની વૃદ્ધિ દર્શાવે છે.આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો ₹12,760 કરોડ નોંધાયો હતો, જે વાર્ષિક ધોરણે 5.9% નો વધારો દર્શાવે છે. કંપનીના MD અને CEO કે. કૃતિવાસને તાજેતરમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, અને નાણાકીય વર્ષ 26 માં બે આંકડાની વૃદ્ધિની શક્યતા ઓછી છે.

અન્ય ટેક કંપનીઓ પણ છટણીનો સામનો કરી રહી છે

TCS ઉપરાંત, માઇક્રોસોફ્ટે પણ વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 15,000 થી વધુ કર્મચારીઓને છટણી કરી છે, જે તેના કુલ કાર્યબળના લગભગ 7% છે. Layoffs.fyi ના ડેટા અનુસાર, 2025 માં અત્યાર સુધીમાં 169 ટેક કંપનીઓમાં 80,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. 2024 માં આ આંકડો 1.5 લાખ હતો. નિષ્ણાતો માને છે કે AI ની વધતી અસર, મંદીનો ભય અને કંપનીઓની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના આ કાપ પાછળના મુખ્ય કારણો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter