વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 નાં મોત
સયાજી હોસ્પિટલમાં 3 નાં મોત
વડોદરાઃ હરણી તળાવ પર પીકનીક પર આવેલા બાળકો બોટમાં સવાર થયા અને થોડી જ વારમાં બોટ પાણીમાં પલટી જતા તમામ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા, અત્યાર સુધી 13 વિદ્યાર્થીઓનાં અને 2 શિક્ષકોનાં મોત થઇ ગયા છે, વાલીઓમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો છે, અહીં લોકો રડી રહ્યાં હતા, માતાઓ વિલાપ કરી રહી હતી. આ બાળકોને લાઇવ જેકેટ પણ અપાયા ન હતા અને કોન્ટ્રાક્ટરે અન્ય કોઇ સબ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, બોટની સમયસર કોઇ તપાસ પણ થઇ નથી, જેથી કોર્પોરેશન સામે વાલીઓમાં આક્રોશ છે.
બાળકોનાં મોત પર પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દુખ વ્યક્ત કર્યું છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યાં છે. કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપશે.
બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યાં, લાઇફ જેકેટ પણ આપ્યાં નહીં
નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
આ બોટમાં 16 લોકોની ક્ષમતા હોવા છંતા 27 લોકોને બેસાડવામાં આવ્યાં હતા અને બોટ અચાનક પલટી ગઇ હતી, બાળકોએ બૂમાબૂમ કરી પરંતુ તેમના સુધી કોઇ ઝડપથી પહોંચી ન શક્યું, 1 થી 5 ધોરણમાં ભણતા માસૂમ 13 બાળકો પાણીમાં ડૂબ્યાં અને તેમનું મોત થઇ ગયું, તેમની માતાઓ રડી રહી છે, પરિવારો પર આભ તૂટી પડ્યું છે, આ દુર્ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર
સામે કડક કાર્યવાહી થઇ જોઇએ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Distressed by the loss of lives due to a boat capsizing at the Harni lake in Vadodara. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
— PMO India (@PMOIndia) January 18, 2024
An ex-gratia…