મોદી પહોંચ્યાં રામલલ્લાના ચરણોમાં...દંડવત પ્રણામ કરીને ભગવાનની આરતી ઉતારી, રેલીમાં ઉમટ્યાં હજારો લોકો

09:10 PM May 05, 2024 | gujaratpost

અયોધ્યાઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી રામલ્લલાના દર્શન કરવા અયોધ્યાં પહોંચ્યાં હતા, તેમને ભગવાનને દંડવત પ્રણામ કરીને આર્શીવાદ લીધા હતા અને આરતીમાં ઉતારીને ભગવાન રામી પૂજા કરી હતી.

ત્યાર બાદ મોદીએ ખુલ્લી જીપમાં ભવ્ય રેલી કરી હતી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા, આ રોડ શોમાં હજારો લોકોની મેદની ઉમટી પડી હતી. રામપથ પર મોટી સંખ્યામાં લોકો મોદીના રોડ શોમાં આવ્યાં હતા. ભાજપના અયોધ્યાના ઉમેદવાર લલ્લુ સિંહ માટે મોદીએ અહીં પ્રચાર કર્યો હતો.

યુપીમાં 20 મેંના રોજ મતદાન થવાનું છે, તે પહેલા ભાજપ અહીં રેલીઓ અને સભાઓ ગજવી રહ્યું છે, નોંધનિય છે કે ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન પણ મેદાને છે, સામે ભાજપના ઉમેદવારો પણ અહીં જોરદાર પ્રચાર કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526