અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ

06:14 PM Oct 07, 2024 | gujaratpost

અંબાજીઃ નવરાત્રીના માહોલ વચ્ચે અકસ્માતના સમાચાર આવ્યાં છે, અંબાજી-દાંતા રોડ પર ત્રિશુળીયા ઘાટ પાસે પ્રાયવેટ બસ પલટી ગઇ હતી, જેમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે અને 24 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર દારૂના નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, પોલીસ અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડ્યાં છે.

ખેડાના કઠલાલના ભક્તો મા અંબાના દર્શન કરીને જઇ રહ્યાં હતા, દરમિયાન ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.