અંબાજી મંદિરમાં ભેળસેળ યુક્ત ઘી સપ્લાય કરવાનો કેસ, હવે નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહે કરી લીધી આત્મહત્યા

06:07 PM Dec 07, 2023 | gujaratpost

અમદાવાદઃ થોડા સમય પહેલા અંબાજી મંદિરમાં ભેળસેળ યુક્ત ઘી સપ્લાય કરવાનો મામલો સામે આવ્યો હતો અને તેમાં લાખો ભક્તોને આ ઘીની પ્રસાદ અપાઇ ગઇ હતી, ડબ્બા પર માર્કો સાબર ડેરીનો હતો અને અંદર ઘી અન્ય જગ્યાએથી લવાયેલું ભરવામાં આવ્યું હતુ, ત્યાર બાદ શ્રદ્ધાળુઓમાં જોરદાર રોષ ફાટી નીકળ્યો હતો અને આ કેસમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, હવે આ ઘી સપ્લાય કરનારા નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહે આત્મહત્યા કરી લીધી છે.

આરોપી જતિન શાહે નારોલમાં આવેલા પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ યુક્ત ઘી પાવરવામાં આવતું હોવાનો કેસ સામે આવ્યાં બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી હતી અને અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં હતા.

અગાઉ પોલીસે જતિન શાહની ધરપકડ કરી હતી અને આ ઘી ક્યાંથી લાવવામાં આવ્યું હતુ તેની તપાસ હાથ ધરી હતી અને હવે જતિન શાહે આત્મહત્યા કરતા અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે, પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

Trending :

નોંધનિય છે કે મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સ પાસે હતો અને મોહિનીને અમદાવાદના માધોપુરામાંથી નિલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદ્યું હતુ અને પછી તે ભેળસેળ યુક્ત નીકળ્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post