+

ગોંડલમાં PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીઓનાં મોત

રાજકોટઃ ગોંડલના વોરા કોટડા રોડ પર PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનાં મોત થયા છે. આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્

રાજકોટઃ ગોંડલના વોરા કોટડા રોડ પર PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનાં મોત થયા છે.

આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા બંને યુવાનોનાં મોત થયા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ દુર્ઘટનામાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ-22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉ.વ-20) ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી મોત થયા છે. બંન્ને યુવાનો રાજસ્થાનના અકલેરા તાલુકાના આમટા ગામના રહેવાસી છે. 

PGVCL દ્રારા છેલ્લા ચાર દિવસથી શ્રી હરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામ લગભગ 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું હતું. આજે રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બે કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત થયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter