+

Gen Z થી ડરવા લાગી સરકાર, PM મોદીએ આખરે કહેવી પડી આ વાત

નવી દિલ્હીઃ જંતર મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે, દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ રહ્યાં છે અને હવે મોદી સરકારને પણ ખબર પડી ગઇ છે કે આ Gen Z પાછા નથી પડવાના, આખરે રહી રહીને વડાપ્રધાન

નવી દિલ્હીઃ જંતર મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે, દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ રહ્યાં છે અને હવે મોદી સરકારને પણ ખબર પડી ગઇ છે કે આ Gen Z પાછા નથી પડવાના, આખરે રહી રહીને વડાપ્રધાન મોદીએ એક્સ પર આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે, તેમને કહ્યું કે પેપર લીકના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોદીએ કહેવું પડ્યું છે કે યુવાઓનું હિત અને તેમનું ભવિષ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના કેસોના ઝડપી નિવારણ માટે અને દોષીઓને ઝડપથી સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે.

તેમણે લખ્યું કે, આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વધારે મોટું બીજુ કંઈ નથી. તેને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે પેપર લીક સાથે જોડાયેલા કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવશે.

બીજી તરફ દિલ્હીમાં પોલીસ દ્વારા અનેક પ્રદર્શનકારીઓ પર લાઠીલાર્જ કરવામાં આવ્યો છે, અનેક નિર્દોષ વિદ્યાર્થીઓ ઘાયલ થયા અને પોલીસ આતંકીઓ સાથે જેવું વર્તન થાય છે તેવું વર્તન માસૂમો સાથે કરી રહી છે, આ મામલે કોંગ્રેસ સહિતના પક્ષોએ મોદીના રાજીનામાની માંગ કરી છે.

 

facebook twitter