Operation Sindoor : ભારતની એરસ્ટ્રાઈક બાદ પીઓકેમાં ભાગી રહેલા લોકો દેખાયા, શાહબાઝ શરીફે કહ્યું આ ઉશ્કેરણીજનક કાર્યવાહી

11:29 AM May 07, 2025 | gujaratpost

પીઓકેઃ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને અંદાજે 90 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યાં છે, રાત્રે દોઢ વાગ્યે થયેલા મિસાઇલ હુમલા બાદ પીઓકેમાં અફડા તફડીનો માહોલ છે, લોકો આમથી તેમ ભાગતા નજરે આવ્યાં હતા. ઓપરેશન સિંદૂર બાદ આંકવાદીઓનો સફાયો થઇ ગયો છે.

આ બધાની વચ્ચે પાકિસ્તાનના પીએમ શાહબાધ શરીફે કહ્યું છે કે આ ભારતનું આ પગલું ઉશ્કેરણીજનક છે અને ભારતને જવાબ આપવામાં આવશે. પાકિસ્તાને તેના મોટા ભાગના એરપોર્ટ બંધ કરી નાખ્યાં છે અને સેના એલર્ટ પર છે.