ગુરદાસપુરઃ લોકસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓનું બજાર ગરમ છે. પાર્ટીઓ વચ્ચે પરસ્પર ગઠબંધન વિશે માત્ર ચર્ચાઓ ચાલી રહી છે એટલું જ નહીં, નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાયા હોવાના અહેવાલો પણ છે.
અગાઉ એવી ચર્ચા હતી કે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે, પરંતુ સિદ્ધુએ આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ ક્રિકેટરે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
લોકસભા ચૂંટણી પહેલા યુવરાજસિંહ ભાજપમાં જોડાઈ શકે છે અને તેમને ગુરદાસપુર લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં અભિનેતા સની દેઓલ ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને જીત્યા હતા. દેઓલને આ બેઠક પરથી ચૂંટણી લડવામાં વધુ રસ નથી, જેના કારણે ભાજપે ગુરદાસપુર બેઠક માટે નવા ચહેરાની શોધ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપ અનેક હસ્તીઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે નક્કિ છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો