ઔરંગાબાદમાં કપડાંની દુકાનમાં લાગી આગ, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 7 લોકોનાં મોત

10:49 AM Apr 03, 2024 | gujaratpost

મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છત્રપતિ સંભાજીંકરના છાવણી વિસ્તારમાં લાગેલી આગમાં 7 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 પુરૂષ, 2 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. સવારે 4 વાગ્યે કપડાંની દુકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

સંભાજીનગરના પોલીસ કમિશનરે જણાવ્યું કે આલમ દરજીની દુકાનમાં આગ લાગી હતી અને મૃતકો તેમની દુકાનની ઉપરના ફ્લોર પર રહેતા હતા. આગ ટોચ સુધી પહોંચી ન હતી પરંતું ગૂંગળામણને કારણે તેમનું મોત થયા છે. દુકાનમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તમામ મૃતકોના મોતનું સાચું કારણ જાણી શકાશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post