+

માંજલપુર પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ, ભાજપ- કોગ્રેસ વચ્ચેે છે મુકાબલો

વડોદરાઃ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી પરિણામ 2026: માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. મત ગણતરી શરૂ થઈ ગઈ છે. પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા મ

વડોદરાઃ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી પરિણામ 2026: માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. મત ગણતરી શરૂ થઈ ગઈ છે. પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. EVMમાં નોંધાયેલા મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે.

માંજલપુર બેઠક માટે મતદાન 30 જુલાઈના રોજ થયું હતું. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. 260 મતદાન મથકો પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં કુલ 37.7 ટકા મતદાન થયું હતું.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા

આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર સતિષ ગોવિંદભાઈ પટેલ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે કોંગ્રેસ ભૂતપૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી સામે ચૂંટણી લડી રહી છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં, આ બેઠક પર 60.15 ટકા મતદાન થયું હતું, જેમાં યોગેશ પટેલે 120,133 મત મેળવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારને મોટા માર્જિનથી હરાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે જનતા પેટાચૂંટણીમાં સતિષ પટેલને વિજય અપાવે છે કે કોંગ્રેસ અપસેટ સર્જવામાં સફળ થાય છે.

2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના યોગેશ પટેલે માંજલપુર વિધાનસભા બેઠક જીતી હતી, તેમના મૃત્યુ પછી, માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. વડોદરાની માંજલપુર બેઠક ભાજપનો ગઢ રહી છે. 2012, 2017 અને 2022 માં ભાજપના યોગેશ પટેલ સતત જીત્યા હતા. 2022 માં, ભાજપે 1,00,000 થી વધુ મતોની લીડ મેળવી હતી.

માંજલપુરમાં સવારે 8 વાગ્યે મકરપુરાની ભવન્સ સ્કૂલ ખાતે મતગણતરી શરૂ થઇ છે. આ બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે જોરદાર મુકાબલો છે.

facebook twitter