અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post

05:10 PM May 05, 2024 | gujaratpost

અમદાવાદઃ લોકસભાની (lok sabha elections) 94 બેઠકો માટે ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના (3rd phase voting) રોજ મતદાન થશે. જેમાં ગુજરાતની (Gujarat lok sabha seats) 25 બેઠક પણ સામેલ છે. આજે સાંજથી પ્રચાર (election campaign ends) પડઘમ શાંત થઈ જશે, જેને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં અનેક સંસ્થાઓ પણ અપીલ કરી રહી છે, કાલુપુર સ્વામિનારાયણ મંદિરે (Kalupur Swaminarayan temple) હરિભક્તોને અપીલ કરતો પત્ર લખ્યો છે.જેમાં હરિભક્તોને કમળનું બટન દબાવીને ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી છે.

તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ દ્વારા હરિભક્તોને બીજેપીને મત આપવા અપીલ કરાઇ છે. રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગી થવા ભાજપને મત આપવા ઉલ્લેખ છે. રાજકીય મતભેદ ભૂલીને કમળનું બટન દબાવવા  પત્રમાં ઉલ્લેખ છે.

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂટણી યોજાવાની છે ત્યારે સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં નોંધાયેલા છે. આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે.ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526