વડોદરાઃ સતત ત્રીજી વખત ભાજપે રંજનબેન ભટ્ટને લોકસભાના ઉમેદવાર બનાવ્યાં હતા, પરંતુ તેમનો જોરદાર વિરોધ શરૂ થતા હવે તેમને સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી.
ભાજપના નેતા અને પૂર્વ મેયર ડો.જ્યોતિબેન પંડ્યાંએ ખુલ્લેઆમ રંજનબેન સામે બળવો કર્યો હતો અને કહ્યું હતું કે સાંસદ રંજનબેને વડોદરા માટે કંઇ કર્યું નથી, ભાજપનો વિકાસ વડોદરામાં દેખાતો નથી, બીજી તરફ રંજનબેન સામે અનેક જગ્યાએ પોસ્ટર્સ પણ લાગ્યા હતા અને તેમને હટાવવા માટે માંગ કરાઇ હતી.
એવી પણ શક્યતા છે કે ભાજપ હાઇકમાન્ડે જ રંજનબેનને પાછા ખસવા માટે દબાણ કર્યું હોય અને રંજનબેને આ જાહેરાત કરી હોય, ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ અહીં કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
— Ranjan Bhatt (MP) (मोदी का परिवार) (@mpvadodara) March 23, 2024