વડોદરાઃ બામણ ગામે એક મકાન ધરાશાયી થયાની દુર્ઘટના સામે આવી છે. કાટમાળમાં દટાઈ ગયેલા પાંચ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી.
ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી ગઇ હોવાથી 2 લોકોને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 3 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
નોંધનિય છે કે ભાવનગરમાં એક મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા.કાટમાળમાં દટાઈ ગયેલા ત્રણ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં હતા, જ્યારે એક યુવતીનું મોત થયું હતું અને રાજ્યમાં આવી બીજી જ ઘટના બની છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો