+

ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું

વડોદરાઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે, ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો ચૂંટણી અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવ

વડોદરાઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે, ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો ચૂંટણી અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, દરમિયાન વડોદરાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું હતુ. બાદમાં રાજીનામું પરત ખેંચી લીધું હતુ. 

થોડા સમય પહેલા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે  લોકોના પ્રશ્નો અધિકારીઓ ઉકેલતા નથી, તેવા આક્ષેપો કરીને રાજીનામું ધરી દીધું હતું, ત્યારબાદ સમાધાન થતાં રાજીનામું પરત ખેંચી લીધું હતું, આ વખતે ફરી એકવાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું અધ્યક્ષને ઇ-મેલ દ્વારા મોકલી આપી જણાવ્યું કે મારા અંતર આત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદેથી મારું રાજીનામું મોકલી આપું છું.

કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો. તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી  ઉચ્ચારી હતી ત્યારબાદ કુલદીપ સિંહની નિમણૂંક ડભોઇ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કરવામાં આવતા તેઓ નારાજ છે. જો કે સી.આર.પાટીલ સાથે વાત કર્યાં બાદે તેમને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.સાથે જ તેમને કહ્યું હતુ કે હું આગામી વિધાનસભા ચૂંટણી નથી લડવાનો, હું મારી પ્રજા માટે કામ કરતો રહીશ. ત્યારે હવે કોંગ્રેસની જેમ ભાજપમાં પણ ઘણા નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter