+

સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ: ઊર્જા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઊર્જા સુરક્ષાના મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. તેમણે કટોકટીનો સામનો કરવા માટે અગાઉથી તૈયારીઓ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, જો તેમ કરવામાં નહીં આવે તો ભવિષ્

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઊર્જા સુરક્ષાના મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. તેમણે કટોકટીનો સામનો કરવા માટે અગાઉથી તૈયારીઓ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, જો તેમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કરોડો લોકોએ નુકસાન વેઠવું પડશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એલપીજીની અછત અંગેના તાજેતરના મીડિયા અહેવાલો વચ્ચે આવ્યું છે. તેમણે સંસદ પરિષરમાં પત્રકારો સાથે વાત કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પણ સરકારને ઘેરી હતી.

રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાનની ગેરહાજરી અંગે સવાલો ઉઠાવ્યાં હતા. તેમણે ફેસબુક પર વિરોધ પ્રદર્શનની તસવીરો શેર કરતા લખ્યું, સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ!

આ બાબતે ફેસબુક પોસ્ટ ઉપરાંત રાહુલે સંસદ ભવન પરિષરમાં પત્રકારોને જણાવ્યું કે, હવે મોદી ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કરવામાં અસમર્થ છે, કારણ કે તેઓ ફસાયેલા છે. તેમણે ભારતના લોકો સુરક્ષિત રહે અને આપણે પોતે દેશની ઊર્જા સુરક્ષાનું સંચાલન કરીએ તે સુનિશ્ચિત કરવું જોઈએ.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગેસ અને ઈંધણ એક મોટી સમસ્યા બનવાના છે. કારણ કે આપણી ઊર્જા સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઈરાનના હોર્મુઝ ખાડીમાંથી તેલના જહાજોને રોકાઇ રહ્યાં છે, ઇરાન યુદ્ધને લઇને પણ તેમને મોદી સરકારની ચૂપકીદી પર સવાલો ઉઠાવ્યાં છે. 

facebook twitter