નવી દિલ્હીઃ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, લોકસભાની ચૂંટણીની પુરજોશમાં તૈયારીઓ થઇ રહી છે, ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ તેમના ઉમેદવારોનાં નામો પણ જાહેર કરી દીધા છે, આ બધાની વચ્ચે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ રાજીનામું સ્વીકારી લીધું છે. હવે ગોયેલના કામની જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના માથે આવી છે, ચૂંટણીપંચમાં મુખ્યચૂંટણી કમિશનર સિવાય બે ચૂંટણી કમિશનર હોય છે.
અરુણ ગોયલ 1985 બેચના આઈએએસ અધિકારી છે.18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાના બીજા જ દિવસે તેમને ચૂંટણી કમિશનર બનાવી દેવાયા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો અને કોર્ટે સરકારને સવાલ કર્યાં હતા. હવે તેમને પોતાના પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે.વિપક્ષ કોંગ્રેસ સહિતની પાર્ટીઓ આ મામલે નજર રાખી રહી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો