વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અબુધાબીમાં મંદિરનું ઉદ્ઘઘાટન કરશે, આ કાર્યક્રમોમાં ભાગ લેશે

10:59 AM Feb 14, 2024 | gujaratpost

અબુધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું આજે ઉદ્ઘઘાટન કરશે. વડાપ્રધાન બે દિવસની મુલાકાતે UAE માં છે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જે વિશાળ કન્ટેનરમાં ભારતથી લાવવામાં આવ્યું હતું.

શું છે મંદિરની વિશેષતા ?

મંદિરનું નિર્માણ કરનાર બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું કે મંદિરના ખૂણેખૂણે ભારત થોડું ઘણું છે. અહીં તમને વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે. અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ સેન્ડસ્ટોન, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે.

જ્યાં સુધી રેખા દોરવામાં આવશે, મંદિર તે જગ્યા પર હશે

પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠક અને અહલાન મોદી કાર્યક્રમ દરમિયાન UAEમાં BAPS મંદિરના નિર્માણ માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદનો આભાર માન્યો હતો. તેમને કહ્યું, સાત મહિનામાં ઝાયેદ સાથે આ મારી પાંચમી મુલાકાત છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારા પરિવારની વચ્ચે છું. મેં રાષ્ટ્રપતિને મંદિર માટે સામાન્ય રીતે વિનંતી કરી હતી. તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના કહ્યું, જ્યાં સુધી તમે રેખા દોરશો, તે જગ્યા મંદિર માટે ઉપલબ્ધ થશે. આ ભારત પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ છે.

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને સંબોધિત કરશે

મોદી અને અલ નાહયાન પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યાં હતા.

UAE માં હિન્દુ મંદિર ક્યાં બનેલું છે ?

આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. UAE નું પહેલું હિન્દુ મંદિર 2023 માં પૂર્ણ થયું હતુ, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં BAPS સંસ્થાના તત્કાલીન વડા સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post