- 80 લાખ લોકોને થશે સીધો ફાયદો
ગાંધીનગરમાંઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ 1 એપ્રિલથી આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત કુલ 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મેળવી શકાશે.
આ નિર્ણયથી રાજ્યના અંદાજે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. અત્યાર સુધી શાળાઓ શરૂ થતા જ વાલીઓને સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી વાલીઓને એડમિશન સમયે પડતી દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ અને કચેરીઓના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે તે જોવા સૂચના આપી છે. આમ આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થઈ જશે.