- અરવલ્લીના ધનસુરામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી
- નરાધમ આરોપી દીકરીના પિતાનો મિત્ર નીકળ્યો
- પોતાના ઘરે લઇ જઇને હેવાનિયતની હદ વટાવી હતી
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરામાં એક નરાધમે હેવાનિયતની હટ વટાવી દીધી છે. 8 વર્ષની બાળકીના પિતાનો મિત્ર જ હેવાન બન્યો હતો. 8 વર્ષની ફૂલ જેવી દીકરીને પોતાના ઘરમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો અને શરીરે બચકાં ભરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
ધનસુરામાં 8 વર્ષની દીકરીના પિતાનો મિત્ર જયંતિ પાડોશમાં રહેતો હતો. કોઈ બહાને બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારીને શરીર પર બચકાં ભરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. થોડા સમય બાદ બાળકી ન મળતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
બાદમાં નરાધમ જયંતિના ઘરેથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેથી ગ્રામજનોએ હેવાન જયંતિને પકડીને માર મારીને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો અને ગ્રામજનોએ માંગ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો