આણંદ-રાપર એસટી બસનો રાધનપુરમાં અકસ્માત, 4 લોકોનાં મોત- Gujarat Post

10:52 AM Jul 12, 2024 | gujaratpost

પાટણઃ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. પાટણનાં રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોનાં કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં છે. જ્યારે ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

રાધનપુર તાલુકાનાં શબ્દલપુરા વચ્ચે ખારિયાપુલ નજીક રાત્રીનાં સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા  અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યાં હતા. 6 લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

અકસ્માત સર્જાતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ આ અકસ્માતની વિગતો મેળવી રહી છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યાં છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526