અમરેલીઃ લાલાવદર ગામની વાડીમાં ખેત મજૂરી કરતા ત્રણ લોકોના મૃતદેહ કૂવામાંથી મળતા ખળભળાટ મચી છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પતિ-પત્ની અને બહેનની લાશ કૂવામાંથી મળી છે. ગામનાં રહીશોને જાણ થતા તેમને તાત્કાલિક અમરેલી ફાયર વિભાગને અનેે પોલીસને જાણ કરી હતી.ત્રણેયના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટનાની જાણ અમરેલીના સાંસદ નારણ કાછડીયાને થતા તેઓ ઘટનાં સ્થળે દોડી આવ્યાં હતા. પોલીસે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે. આસપાસના લોકોના જણાવ્યાં અનુસાર ગુરૂવારે રાત્રે શ્રમિકો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જે બાદ ત્રણેય શ્રમિકોએ કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હોય શકે છે.
મૃતકોમાં મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા, જાનુબેન અંતુરભાઈ દેવરખીયાનો સમાવેશ થાય છે.
પોલીસે તેમનાં સગા-સબંધીઓ અને ખેતરમાં આજુબાજુ કામ કરતા લોકોની પૂછપરછ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો