વડોદરાઃ શહેરના કોટંબી પાસે મોડી રાત્રે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલી એસટી બસે બાઇકને અડફેટે લેતા બે સગા ભાઈઓ સહિત 3 યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા જરોદ પોલીસે સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને કેસની વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરાના અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાનો બાઇક લઈને જરોદથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતાં. આ સમયે વડોદરા નજીક કોટંબી ચોકડી પાસે ગાંધીનગર-પાવાગઢ (GJ-18-Z-4692)ની ST બસે બાઇક સવારોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક નામના યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. બે સગા ભાઈઓના અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો