+

ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય

(ફાઇલ ફોટો) નવી દિલ્હીઃ સોમવારે, કેન્દ્ર સરકારે સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana Rule Change) ના લાભાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. દે

(ફાઇલ ફોટો)

નવી દિલ્હીઃ સોમવારે, કેન્દ્ર સરકારે સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana Rule Change) ના લાભાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. દેશમાં તેલ વિતરણ કંપનીઓ દ્વારા તાજેતરમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારા બાદ, હવે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. 

ઉજ્જવલા યોજનાના નિયમોમાં ફેરફાર બાદ, PMUY લાભાર્થીઓને હવે પહેલા 4 રિફિલ માટે પ્રતિ સિલિન્ડર રૂ. 300 નું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મળશે. સરેરાશ, એક સામાન્ય ઉજ્જવલા યોજના પરિવાર દર વર્ષે આશરે ચાર રિફિલ વાપરે છે. અગાઉ, PMUY લાભાર્થીઓને દર વર્ષે નવ રિફિલ માટે સબસિડી મળતી હતી.

2016 થી 10.5 કરોડ કનેક્શન

મોદી સરકારે મે 2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, PMUY દ્વારા સ્વચ્છ રસોઈ ઇંધણ લાખો ઘરોમાં પહોંચ્યું છે, તેનાથી મહિલાઓને સશક્ત બનાવવામાં અને ભારતીય પરિવારોના જીવનધોરણમાં સુધારો કરવામાં મદદ મળી. આ યોજનાનો સંપૂર્ણ લાભ જરૂરિયાતમંદોને મળ્યો. આ સરકારી યોજના શરૂ થયા પછી, ગરીબ પરિવારોની મહિલાઓને 10.5 કરોડથી વધુ મફત LPG કનેક્શન આપવામાં આવ્યા છે. 

સરકાર રૂ. 300 સબસિડી આપવાનું શરૂ કર્યું છે

ઉજ્જવલા યોજના શરૂ થયા પછી, સરકારે LPG સસ્તું રાખવા માટે મે 2022 માં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડર પર રૂ. 200 સબસિડી આપવાનું શરૂ કર્યું હતુ અને ઓક્ટોબર 2023 માં તેને વધારીને રૂ.300 પ્રતિ સિલિન્ડર કર્યું. જે લાભાર્થીઓને સતત આપવામાં આવી રહ્યાં છે અને LPG સબસિડીના આ પૈસા દરેક રિફિલ પછી સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. પેટ્રોલિયમ મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં સરકારે LPG સબસિડીના રૂપમાં 52,000 કરોડ રૂપિયા આપ્યાં છે. 

નુકસાન છતાં સબસિડી રાહત ચાલુ 

મધ્ય પૂર્વના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે તેલ અને ગેસના વધતા સંકટ વચ્ચે, રાજ્ય માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ ઘરેલું ગેસ સિલિન્ડર આશરે રૂ.700 નું નુકસાન થઈ રહ્યું છે. દરમિયાન, સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર પ્રતિ સિલિન્ડર રૂ. 300 ની સબસિડી આપવાનું ચાલુ રાખ્યું છે, જે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એક મોટી રાહત છે. સામાન્ય ગ્રાહક માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત રૂ. 942 છે, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી ધરાવતા લોકો પહેલા ચાર સિલિન્ડર માટે પ્રતિ રિફિલ રૂ. 642 ચૂકવે છે. 

12 થી 9 સુધી, હવે ફક્ત 4 સિલિન્ડર

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ, લાભાર્થીઓને શરૂઆતમાં વાર્ષિક 12 સબસિડીવાળા સિલિન્ડર મળતા હતા. ગયા વર્ષે આ સંખ્યા ઘટાડીને 9 કરવામાં આવી હતી, અને હવે, એક મહત્વપૂર્ણ પગલામાં, આ સંખ્યા 4 LPG સિલિન્ડર સુધી મર્યાદિત કરવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ પગલાને વાસ્તવિક સરેરાશ ઘરગથ્થુ વપરાશ સ્તર સાથે સુસંગત નાણાકીય સહાય લાવવા તરીકે વર્ણવ્યું છે.

લાભાર્થીઓને કેટલું નુકસાન થશે ?

પેટ્રોલિયમ મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ માલ ખાનુજાના જણાવ્યાં અનુસાર, ઉજ્જવલા પરિવારોના સરેરાશ વાર્ષિક ગેસ વપરાશના આધારે સુધારેલા પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જોકે, પ્રતિ રિફિલ સબસિડીની રકમ યથાવત રાખવામાં આવી છે. તાજેતરના ફેરફારો બાદ, લાભાર્થી દીઠ મહત્તમ વાર્ષિક સહાય વધારીને રૂ.1,200 કરવામાં આવી છે. લાભાર્થીઓ પરની અસરની વાત કરીએ તો, અત્યાર સુધી તેમને રૂ. 300 સબસિડી સાથે 9 LPG સિલિન્ડર માટે વાર્ષિક રૂ.2,700 મળતા હતા, પરંતુ હવે તેમાં એક જ વારમાં રૂ.1,500નો ઘટાડો કરવામાં આવ્યો છે. 

સરકારે LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવાના અને ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે, જેમાં વૈશ્વિક સ્તરે LPGના ભાવ વધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુધારેલ સબસિડી માળખું સરકાર પર નાણાકીય બોજ ઘટાડવામાં મદદ કરશે અને રસોઈ માટે LPG પર નિર્ભર પરિવારોને ટેકો આપવાનું ચાલુ રાખશે. 

facebook twitter