ચૂંટણી પહેલા બદલીઓ, સુરત અને વડોદરાના મનપા કમિશનરોની બદલી- Gujarat Post

11:59 AM Oct 01, 2022 | gujaratpost

(બંને કમિશ્નરોની ફાઈલ તસવીર)

વિધાનસભા ચૂંટણી પહેલા 2 મનપા કમિશનરોની બદલી

સુરત અને વડોદરાના મનપા કમિશનરની પરસ્પર બદલી

તાજેતરમાં જ IPS-Dysp ની કરાઇ હતી બદલીઓ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા મોટા પાયે ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. હવે સુરત અને વડોદરા મનપા કમિશનરની પરસ્પર બદલી કરવામાં આવી છે. સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા છે. વડોદરાના મનપા કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે.

થોડાક દિવસો અગાઉ ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં 82 DySPની બદલીના આદેશ આપવામાં આવ્યાં હતા.એ અગાઉ ગુજરાતમાં IPS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં જ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat