સુરતઃ પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, 5 મહિનામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું- Gujarat Post

01:10 PM Feb 16, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ પાંચ મહિના પહેલા પ્રેમી પંખીડાએ ભાગીને લગ્ન કર્યાં બાદ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. બિહારથી પ્રેમીપંખીડાઓ ભાગીને સુરત ખાતે આવ્યાં બાદ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી માતા-પિતા નારાજ હોવાથી પરિણીતા સતત માનસિક તાણ અનુભતી હતી અને તેથી બુધવારે સાંજે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાની ચર્ચા છે.

ઈચ્છાપોરમાં મોરાગામ ખાતે સ્ટાર રેસિડેન્સીમાં રહેતી 24 વર્ષીય બૈજંતીકુમારી સુનિલ કુમાર શાહુએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. જો કે સાંજે પતિ સુનિલકુમાર કામેથી ઘરે આવ્યો ત્યારે પત્નીનો મૃતદેહ લટકતી હાલતમા જોઈને ચોંકી ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરતા ત્યાં પહોચીને કાર્યવાહી કરી હતી.

પોલીસના કહેવા મુજબ, બૈજંતીકુમારી મૂળ બિહારના છપરાની વતની હતી. બૈજંતીકુમારી અને સુનિલકુમાર વચ્ચે પ્રેમ સંબધો હોવાથી પાંચ મહિના પહેલા બિહારથી સુરત આવ્યાં હતા અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. સુનિલકુમાર એલ.એન્ડ.ટી. કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. બૈજંતીકુમારીએ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી તેમના માતા-પિતા સહિત પરિવારના સભ્યોને પસંદ ન હતું અને તેઓ નારાજ રહેતા હોવાથી તે સતત માનસિક તાણ અનુભવતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post