Rajasthan Accident: રાજસ્થાનના ઝાલાવાડમાં વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોનાં મોત

10:08 PM Apr 23, 2024 | gujaratpost

જયપુરઃ રાજસ્થાનના(Rajasthan) ઝાલાવાડ(Jhalawar) માં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત થયા છે. અકસ્માતની( Accident )જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો મધ્યપ્રદેશથી આવી રહ્યાં હતા. હાલ મૃતદેહોને કબ્જો લઇને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.

પોલીસે જણાવ્યું કે આ દુઃખદ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. સ્પીડમાં આવી રહેલી મારુતિ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો મધ્ય પ્રદેશથી( MP ) લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યાં હતા. જ્યારે આ લોકો ઝાલાવાડમાં નેશનલ હાઈવે (NH 52) પર અકલેરા નજીક પહોંચ્યાં ત્યારે આ ભયાનક અકસ્માત થયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

આ ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે ઘટના કેટલી ભયાનક હતી. આસપાસના લોકોને જાણ થતા તેઓ તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યાં હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post