નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે કોંગ્રેસના ટોચના નેતાઓએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના (Congress president Mallikarjun Kharge) નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં રાહુલ ગાંધીની સંસદીય બેઠક અંગે નિર્ણય લેવામાં આવ્યો. બેઠક બાદ ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) વાયનાડ સીટ છોડીને રાયબરેલીને પોતાની પાસે રાખશે. પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) વાયનાડ લોકસભા સીટથી (Wayanad Lok Sabha seat) કોંગ્રેસના ઉમેદવાર હશે. આ બેઠકમાં સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલે પણ હાજરી આપી હતી.
મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું કે અમે બધાએ મીટિંગમાં નિર્ણય લીધો હતો કે સાંસદ રાહુલ ગાંધી રાયબરેલી સીટ પોતાના માટે રાખશે, કારણ કે રાયબરેલીની જનતા પહેલાથી જ તેમની ખૂબ નજીક રહી ચૂકી છે. તેનો ગાંધી પરિવાર સાથે ખાસ સંબંધ છે, પેઢીઓથી ત્યાંથી લડત ચલાવી રહી છે. તેથી ત્યાંના લોકો અને પાર્ટીના લોકો પણ કહે છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પોતાની પાસે રાખવી જોઈએ. રાહુલને વાયનાડના લોકોનો પ્રેમ પણ મળ્યો છે. તેઓ ઈચ્છે છે કે રાહુલ વાયનાડમાં રહે, પરંતુ કાયદો તેની મંજૂરી આપતો નથી, એક સાંસદ પદ છોડવું પડશે, અને પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.
મીટિંગ બાદ મીડિયાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું. વાયનાડનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હશે. હું સારા પ્રતિનિધિ બનવાનો પ્રયત્ન કરીશ. રાયબરેલી સાથે મારો જૂનો સંબંધ છે, મેં રાયબરેલી અને અમેઠી માટે ઘણું કામ કર્યું છે. હું રાયબરેલીમાં પણ ભાઈને મદદ કરીશ. અમે વાયનાડ અને રાયબરેલીમાં પણ એકબીજાને મદદ કરીશું.
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "We have decided that Priyanka Gandhi Vadra will fight elections from the Wayanad Lok Sabha seat..." pic.twitter.com/5o5IrpEwbU
— ANI (@ANI) June 17, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/