રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યાં છે. ગઈકાલે વડોદરા, ભૂજ, અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે તેમણે પાટનગર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર જવા રવાના થયા હતા.. સેન્ટ્રલ વિસ્ટાના આ રૂટને તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો હતો. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો. તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શોને લઈને સેન્ટ્રલ વિસ્ટાનો માર્ગ આજે બંધ રહેશે તથા મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા. રાજભવન જતા તમામ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો આ તમામ વિસ્તારને નો ડ્રોન પણ જાહેર કરાયો છે.
વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
#WATCH | Gujarat: Preparations in full swing at Gandhinagar ahead of PM Narendra Modi's roadshow
— ANI (@ANI) May 27, 2025
Kashish Panchal, a garba artist says "We are all very excited to welcome PM Modi. Whatever he is doing for India is a matter of great happiness for us. We are going to perform… pic.twitter.com/qIEZVkjRBA
LIVE: ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi જીનો રોડ-શૉ https://t.co/PRxukznwg7
— BJP Gujarat (@BJP4Gujarat) May 27, 2025
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi says "In 1947, when Maa Bharti was partitioned, 'katni chahiye thi zanjeerein par kaat di gayi bhujayein'. The country was divided into three parts. On that very night, the first terrorist attack took place in Kashmir. A part of… pic.twitter.com/f3cynvw0Tv
— ANI (@ANI) May 27, 2025