રાહુલ ગાંધીએ સંબોધન રિસ્ટોર કરવા લોકસભા સ્પીકરને લખ્યો પત્ર
જે રીતે મારા ભાષણનો નોંધપાત્ર ભાગ હટાવી દેવાની કાર્યવાહી કરવામાં આવી તે જોઈને આઘાત લાગ્યો છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી છે. રાહુલે પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી.પોતાના ભાષણમાં કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા, નફરત-દ્વેષ કરે છે. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.
સોમવારે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું હતું. ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા, નફરત અને જૂઠ ફેલાવતા રહે છે.તેઓ બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે વ્યક્તિએ સત્યની સાથે ઊભા રહેવું જોઈએ અને સત્યથી ક્યારેય પીછેહઠ ન કરવી જોઈએ. અહિંસા ફેલાવવી ન જોઈએ. જ્યારે પીએમ મોદીએ રાહુલના નિવેદન પર વાંધો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ભાજપને હિંસક કહ્યું છે, નરેન્દ્ર મોદી સંપૂર્ણ હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી.રાહુલે સંસદમાં ભગવાન શિવનો ફોટો બતાવીને ઉદાહરણ આપ્યું હતુ.
રાહુલ ગાંધીએ લોકસભાની કાર્યવાહીમાંથી તેમના ભાષણના અંશો હટાવવા પર પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે, 'મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે પરંતુ વાસ્તવમાં સત્યને ભૂંસી શકાતું નથી. મેં જે કહ્યું અને મારે જે કહેવું હતું, મેં કહ્યું, એ સત્ય છે, હવે તેઓ જે ભૂંસી નાખવા માગે છે, તે ભૂંસી નાખો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored.
— ANI (@ANI) July 2, 2024
The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc