સ્યૂસાઇડ નોટમાં હતું તેનું દર્દ...કેશોદની યુવતીએ લગ્ન પહેલા જ આ કારણથી કરી લીધી આત્મહત્યા

10:53 PM Apr 11, 2024 | gujaratpost

જૂનાગઢઃ કેશોદના ટીટોળી ગામમાં યુવતીના લગ્ન નક્કી થતાં સાસરી પક્ષે પાંચ તોલા સોનું આપવાનું વચન આપ્યું હતુ, પરંતુ યુવતીના પતિ અને સાસરી પક્ષે સોનું આપ્યું નહીં અને લગ્ન પણ તોડી નાખ્યાં, જેથી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા બે પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી, જેમાં તેનું દર્દ છલકાયું હતુ.

સ્યૂસાઇડ નોટમાં મૃતક અસ્મિતાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન નક્કિ થયા બાદ થોડા જ સમયમાં તેના લગ્ન તૂટી ગયા હતા.સાહિલ રાઠોડે લગ્નની તારીખ નક્કી થઈ હતી ત્યારે 5 તોલા સોનું આપવાનું વચન તેને આપ્યું હતુ. પરંતુ તેને આ વચન તોડ્યું અને થનારા પતિની બે બહેનો અને અન્ય લોકો મારા ઘરે આવીને ઝઘડો કરતા હતા.

આ લોકોએ ઘરને તાળું મારી દેવાની ધમકી પણ આપી હતી અને તેના પરિવારને હેરાન કરાતો હતો. જેથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે કેશોદ પોલીસે ગુનો દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post