+

દ્વારકામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં લાગી આગ, 4 લોકોનાં કરૂણ મોત થઇ ગયા

દ્વારકાઃ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં સાત મહિનાની પુત્રી, પતિ-પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે શોર્ટ સર્કિટને કારણે ઘર

દ્વારકાઃ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં સાત મહિનાની પુત્રી, પતિ-પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગી હતી. આગના કારણે ફેલાતા ધુમાડા અને ઝાકળને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા અને ચાર લોકોનાં મોત થયા હતા.

દ્વારકામાં આદિત્ય રોડ ખાતે આવેલા રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં પવન કમલેશ ઉપાધ્યાય (ઉ.વ-30 વર્ષ), તિથી પવન ઉપાધ્યાય (ઉ.વ-27), ધ્યાના ઉપાધ્યાય (7 મહિનાની પુત્રી) અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.

ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળ પર આવીને આગ હોલવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કાબૂમાં લઇને ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. આ ઘટનાથી ગૂગળી બ્રાહ્મણ સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter