મોરબીમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આજુબાજુની દુકાનો પણ લપેટમાં આવી ગઇ- Gujarat Post

09:29 PM Apr 04, 2024 | gujaratpost

(તસવીર સૌજન્યઃ ANI)

રાજકોટઃ મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ થોડીવારમાં જ બાજુમાં આવેલી ફેકટરીમાં પ્રસરી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. હાલ આગને કાબૂમાં લેવા મોરબી, વાંકાનેર ઉપરાંત રાજકોટથી ફાયર બ્રિગડની મદદ લેવાઇ છે.

નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી વિનાયક નામની કંપનીના અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાના ધુમાડા દૂરથી દેખાય રહ્યાં હતા. આગની દુર્ઘટનાની જાણ મોરબી ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતા.

આગ એટલી વિકરાળ હતી કે સેકન્ડોમાં જ બાજુમાં આવેલી અન્ય એક સોટ કવર બનાવતી પવનપુત્ર કંપની પણ ઝપટે ચડી ગઈ હતી. આ આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકશાનની શક્યતા છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે હાલમાં મોરબી ફાયર વિભાગના બે ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે છે.  ફાયરની સાથે આજુબાજુથી પાણીની વ્યવસ્થા કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post