વર્ષો પહેલા સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદી હતી કટોકટી
અનેક નેતાઓને કરી દીધા હતા જેલ ભેગા
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી મામલે ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસ મનાવવામાં આવશે, આ દિવસે 1975માં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતા. તે સમયે દેશમાં કોંગ્રેસના ઇન્દિરા ગાંધીનું શાસન હતુ,
અમિત શાહે કહ્યું કે સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે, જે દિવસે 1975માં કટોકટી જાહેર કરવામાં આવી હતી. 'સંવિધાન હત્યાકાંડ દિવસ' એ તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી. હવે મોદી સરકાર કોંગ્રેસને ઇન્દિરાની યાદ અપાવીને ઘેરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
The decision made by the government led by PM Shri @narendramodi Ji is intended to honor the spirit of millions who struggled to revive democracy despite facing inexplicable persecution at the hands of an oppressive government.
— Amit Shah (@AmitShah) July 12, 2024
The observance of 'Samvidhaan Hatya Diwas' will…
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/