અમદાવાદઃ એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થતા તેમાં સવાર તમામ 242 મુસાફરોનાં મોત થઇ ગયા હોવાનો ન્યૂઝ એજન્સી એપીએ દાવો કર્યો છે, પ્લેનમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને તેમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા છે, લાશોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બીજી તરફ તંત્ર તરફથી કહેવામા આવ્યું છે કે મૃતકોના સંબંધીઓ હોસ્પિટલ આવીને સેમ્પલ આપે, જેથી કરીને તેમના સ્વજનોનો ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવે. લાશોની હાલત ખુબ જ બળી ગયેલી છે, જેથી તેમને ઓળખવી મુશ્કેલ છે.
મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડીંગમાં વિમાન ક્રેશ થતા અભ્યાસ કરી રહેલા 20 જેટલા ડોક્ટર્સના મોતની આશંકા સેવાઇ રહી છે, આ મામલે તંત્રએ હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા અને સ્થિતીની સમીક્ષા કરી હતી.

Three teams of National Disaster Response Force (NDRF) are working at the plane crash site in Ahmedabad
— ANI (@ANI) June 12, 2025
A total of three more teams are being moved from Vadodara: NDRF
(source: NDRF) pic.twitter.com/8yncGwv1Cn