અમદાવાદ પોલીસ કમિશનર મલિકે કહ્યું એક વ્યક્તિનો બચાવ થયો છે
વિશ્વાસ કુમારને છાતી, આંખ અને પગના ભાગમાં ઇજાઓ થઇ છે
અમદાવાદઃ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન મીનિટોમાં જ તૂટી પડ્યું હતુ, જેમાં એક માત્ર મુસાફરનો ચમત્કારિક બચાવ થયો છે અને 241 લોકોનાં મોત થઇ ગયા છે, મોટા ભાગના લોકોના શરીર બળીને ખાખ થઇ ગયા છે.
જે વ્યક્તિનો બચાવ થયો છે તેમનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે અને તેઓ 11-એ સીટ પર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની પૂછપરછ કરતા કહ્યું કે ટેક ઓફ કર્યાની થોડી જ સેકન્ડોમાં જોરદાર અવાજ આવ્યો હતો અને પછી વિમાન ક્રેશ થઇ ગયું હતુ. હું જ્યારે આંખો ખોલી તો મારી આસાપાસ લાશો જ લાશો હતી.
40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશે ખૌફનાક કહાની વર્ણવી હતી, તેમને કહ્યું કે હું પછી અહીંથી ભાગવા લાગ્યો હતો અને મારી આસપાસ વિમાનના ટુકડા વિખેરાયેલા હતા. મને કોઇએ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હું ખુબ જ ડરી ગયો હતો. કારણ કે આ બધુ માત્ર સેકન્ડોમાં જ થઇ ગયું હતુ.

રમેશ કુમાર વિશ્વાસ બ્રિટિશ નાગરિક છે, તેઓ ભારતમાં પોતાના પરિવારને મળવા આવ્યા હતા. તે પોતાના ભાઈ અજય કુમાર રમેશ સાથે લંડન પરત ફરી રહ્યા હતા. પણ હવે અજયનો કોઈ પત્તો નથી.રમેશ કુમાર વિશ્વાસ કહે છે કે, અમે દીવ ફરવા ગયા હતા. અજય મારી સાથે હતો. પણ તે ફ્લાઈટમાં અલગ સીટ પર બેઠો હતો. હવે તેમનું મોત થઇ ગયું છે.