+

જલગાંવમાં કાર, બાઇક, એસટી બસ વચ્ચે અકસ્માતમાં 5 ગુજરાતીઓનાં મોત

મહારાષ્ટ્રઃ જલગાંવ જિલ્લામાં મંગળવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના ઘટના સ્થળે જ મોત થયા છે. અમલનેર તાલુકાના માંગરુલ વિસ્તારમાં કાર, એક મોટરસાઇકલ અને બસ સામ સામે અથડાયા હતા. મ

મહારાષ્ટ્રઃ જલગાંવ જિલ્લામાં મંગળવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના ઘટના સ્થળે જ મોત થયા છે. અમલનેર તાલુકાના માંગરુલ વિસ્તારમાં કાર, એક મોટરસાઇકલ અને બસ સામ સામે અથડાયા હતા. મૃતકો ગુજરાતથી સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે તેમનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, પોલીસ અને તબીબી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને મદદ કરવાનું શરૂ કર્યું હતું.

માંગરુલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો

જલગાંવ જિલ્લાના અમલનેર તાલુકાના માંગરુલ વિસ્તારમાં સવારે આ મોટો અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, એક કાર, એક મોટરસાઇકલ અને રાજ્ય પરિવહન બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. વાહનોને થયેલા ભારે નુકસાન પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજ આવી જાય છે.

લોકો સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા

પ્રાથમિક માહિતી મુજબ, પીડિતો ગુજરાતથી સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. જો કે, રસ્તામાં તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું અને આખો પરિવાર આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. ઘટના બાદ તરત જ માંગરુલ ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલોને બહાર કાઢવા અને રાહત કાર્ય શરૂ કરવાની કામગીરી હાથધરી હતી.

મૃતકોની ઓળખ આદિત્ય ચંદ્રકાંત મહાજન, અનિતા સુરેશ મહાજન, નિર્મલા નંદલાલ મહાજન, નંદલાલ ગોપાલ મહાજન અને સુરેશ વિક્રમ મહાજન તરીકે થઈ છે, જેઓ બધા ગુજરાતના વ્યારાના રહેવાસી છે. અહેવાલ મુજબ તેઓ અમલનેરમાં એક સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

વહીવટીતંત્ર મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે, અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. 

facebook twitter