100થી વધુ અધિકારીઓ જોડાયા હતા તપાસમાં
હજુ પણ મોટા પ્રમાણમાં કરચોરીનો આંકડો આવશે સામે
અનેક બેંક લોકર ખોલવાના બાકી
અમદાવાદઃ શહેરમાં 2 દિવસ પહેલા ઘણા સ્થળોએ આઈટીએ દરોડા પાડ્યાં હતા. દરોડામાં કુલ 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. આઈટી વિભાગે 2 કેમિકલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યાં છે. અંદાજે 100 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યાં છે. આવકવેરા વિભાગે ધારા કેમિકલ્સ અને બ્લીચ કેમિકલ્સને ત્યાં દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન હજુ પણ મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતા છે.
થોડા સમય પહેલા આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે કેમિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓને ત્યાં દરોડાથી જ્વેલર્સ, બિલ્ડર્સ સહિતના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દિવાળી પહેલા હજુ પણ આઇટી વિભાગ મોટા કાર્યવાહી કરી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો