ગાંધીનગરઃ ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીઓને દિલ્હી દરબારનું તેડું આવ્યું છે. બે આઈએએસ ઓફિસર વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્લી ડેપ્યુટેશન પર જઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે વિધિવત ઓર્ડર કરતા ટૂંક સમયમાં બંને ઓફિસર ગુજરાતને અલવિદા કરશે.વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, મનીષ ભારદ્વાજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે.
થોડા સમય પહેલા વિજય નેહરાને ધોલેરા-એસઆઈઆર પ્રોજેક્ટની કમાન સોંપવામાં આવી હતી. આ પહેલા વિજય નેહરા ગુજરાત સકરના સાયન્સ અને ટેકનૉલોજિ વિભાગમાં ફરજ બજાવતા હતા.અગાઉ તેઓ અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચુક્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો