રાજકોટમાં ધો.10ના વિદ્યાર્થીનું અચાનક મોત
SGVP રીબડા ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો દેવાંશ ભાયાણી
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે સાચી હકીકત
રાજકોટઃ SGVP રીબડા ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે ધો.10 નો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. દીકરાના અચાનક મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલમાં આ કિસ્સો હાર્ટએટેકનો હોવાનું અનુમાન છે.
દેવાંશ સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો તે સમયે ઢળી પડ્યો
એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું
ગુરુકુળમાં ધો.10માં અભ્યાસ કરતા ધોરાજીનો મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊપડતા તે ઢળી પડ્યો હતો, દેવાંશને ગુરુકુળના સ્ટાફે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે. તેમના એકના એક દીકરા દેવાંશનું અચાનક મોત થતા ભાયાણી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો