ધોરણ- 11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશ ડોડિયાએ કરી આત્મહત્યા
મૃતક વિદ્યાર્થિની કુતિયાણાની રહેવાસી હતી
રાજકોટઃ ધોરાજીમાં ધોરણ- 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રોયલ હોસ્ટેલના રૂમ નંબર 318માં વિદ્યાર્થિનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.વિદ્યાર્થિનીના રૂમમાં તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં તેને પિતાથી નારાજ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
વિદ્યાર્થિનીએ લખ્યું છે કે પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ તમે છો. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ છે. કેમ કે તમને મને ક્યારેય પોતાની દીકરી જ સમજી નથી. તમને બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું હતું. માત્ર મારા દાદીએ મને માં અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. સોરી દાદી....આઈ હેટ યુ પપ્પા...
માં જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હઈશ. મા મને માફ કરી દેજો કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો