Operation Sindoor: અડધી રાત્રે ભારતે પીઓકેમાં આતંકવાદીઓ પર કરી એર સ્ટ્રાઇક, 9 જગ્યાએ મિસાઇલ હુમલામાં આતંકવાદીઓને કરાયા ઠાર

08:51 AM May 07, 2025 | gujaratpost

ભારતે લીધો હુમલાનો બદલો, પીઓકેમાં આતંકીઓ પર એર સ્ટ્રાઇક

પાકિસ્તાન સામે ભારતની મોટી કાર્યવાહી

પીઓકેઃ પહેલગામ હુમલા બાદ ભારતે પીઓકેમાં મિસાઇલથી મોટો હુમલો કર્યો છે, આતંકવાદીઓના 9 ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં 90 આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

ઓપરેશન સિંદૂર હેઠર રાત્રે દોઢ વાગ્યે પીઓકેના બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ભારતીય સેનાના લડાકુ વિમાન ત્રાટક્યાં હતા અને આ હુમલો કરવામાં આવ્યો હતો.